(N/A) લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ શોધવા માટે,આપણે સિદ્ધાંતમાં,વસ્તુ પરના કોઈ બિંદુમાંથી નીકળતા કોઈપણ બે કિરણો લઈ શકીએ છીએ; વક્રીભવનના નિયમોનો ઉપયોગ કરીને તેમના માર્ગને અનુસરી શકીએ છીએ અને તે બિંદુ શોધી શકીએ છીએ જ્યાં વક્રીભૂત કિરણો મળે છે (અથવા મળતા જણાય છે). જો કે,વ્યવહારમાં નીચેનામાંથી કોઈપણ બે કિરણો પસંદ કરવા અનુકૂળ છે:
$(i)$ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી નીકળતું કિરણ વક્રીભવન પછી બીજા મુખ્ય કેન્દ્ર $F^{\prime}$ (બહિર્ગોળ લેન્સમાં) માંથી પસાર થાય છે અથવા પ્રથમ મુખ્ય કેન્દ્ર $F$ (અંતર્ગોળ લેન્સમાં) માંથી અપસૃત થતું જણાય છે.
$(ii)$ લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પછી કોઈપણ વિચલન વગર બહાર આવે છે.
$(iii)$ પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું (બહિર્ગોળ લેન્સ માટે) અથવા તેના પર મળતું જણાતું (અંતર્ગોળ લેન્સ માટે) પ્રકાશનું કિરણ વક્રીભવન પછી મુખ્ય અક્ષને સમાંતર બહાર આવે છે.
એ યાદ રાખવું જોઈએ કે વસ્તુ પરનું દરેક બિંદુ અનંત સંખ્યામાં કિરણો ઉત્સર્જિત કરે છે. આ તમામ કિરણો લેન્સ પર વક્રીભવન પછી સમાન પ્રતિબિંબ બિંદુમાંથી પસાર થશે.